Posted on March 3, 2009 by jalsamvaad
સમજીએ અને સાંભળીએ પાણીના ખરા છેવટના વપરાશકારોને
-શિલ્પા વસાવડા
૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન‘ તરીકે જવાય છે. ૧૮પ૩ની ૮ માર્ચે અમેરિકાની કાપડની સૂતર મિલોમાં કામ કરતી મજૂર મહિલાઓને તેમના કામના કલાકો ૧૬ થી ઘટાડીને ૧૦ કલાક કરવાની માંગણી માટે સંઘર્ષ છેડ્યો અને આ સંઘર્ષમાં તેમને સફળતા મળી. તેથી આ વિજયી સંઘર્ષની યાદ તાજી રાખવા ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે જાહેર કરાયો. મહત્વની વાત એ છે કે, આ વિજયી સંઘર્ષ કરનાર ઇતિહાસ ઘડનાર સ્ત્રીઓ ન હતી, પરંતુ રોજબરોજ મહેનત અને સંઘર્ષ કરતી ‘સામાન્ય’ સ્ત્રીઓ હતી. જ્યારે આપણે પીવાના પાણીના કાર્યક્રમોમાં લોકભાગીદારીની વાત કરીએ છીએ, ત્યારે ૮ માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે થોડી વિશેષ નજર લોકભાગીદારીમાં ‘મહિલા ભાગીદારી’ પર કરીએ.
Read more »
Filed under: Uncategorized | 1 Comment »
Posted on March 2, 2009 by jalsamvaad
- ડૉ. જયપાલ સિંહ, વાસ્મો
પીવાના પાણીના ક્ષેત્રને ટકાઉપણું આપવા માટે રાજય સરકાર દ્વારા લાંબાગાળાનું મહત્વાકાંક્ષી આયોજન કરી ‘રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજયની આશરે ૭૫ ટકા વસતીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે ૬૫ ટકા વસતીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. ગ્રીડની સાથે જ સ્થાનિક સ્ત્રોતોના વિકાસ માટે પણ કામગીરી થઇ રહી છે.
Read more »
Filed under: દિશાસૂચક વિચારો | Tagged: ગુણવત્તા, જળસંચય, ડૉ. જયપાલ, ડૉ. જયપાલ સિંહ, પાણી | Leave a Comment »
Posted on February 28, 2009 by jalsamvaad
- પ્રો. આર. સી. પોપટ (શુકદેવ)
ગુજરાતના આર્થિક વિકાસના ત્રણ પાયા – પાણી, પાવર અને પેટ્રોલ. ગુજરાત રાજ્ય પાણીની અછતવાળું રાજ્ય છે. ગંભીર બાબત એ છે કે, પાણીની આ અછત કુદરત પ્રેરિત નહીં, પરંતુ માનવસર્જિત છે. પર્યાપ્ત વરસાદ છતાં રાજ્યને પાણીની અછતનો લગભગ દર વર્ષે સામનો એટલા માટે કરવો પડે છે કે, આપણે ત્યાં યોગ્ય જળ આયોજન અને જળ સંચાલનનો અભાવ છે.
Read more »
Filed under: દિશાસૂચક વિચારો | Tagged: આયોજન, જળ, પાણી, વ્યવસ્થાપન | Leave a Comment »
Posted on February 27, 2009 by jalsamvaad
- શામજીભાઇ આંટાળા
પાણી એ વિકાસની ગુરુ ચાવી છે. વૈશ્વિકરણના આજના સમયમાં વિશ્વ સ્તરે આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાણીનું મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, પણ દરેક માણસ પાણીનું મહત્ત્વ અને મૂલ્ય સમજે, સ્વીકારે અને વહેવારમાં તેનો અમલ કરે તે અતિ જરૂરી છે અને એ ત્યારે જ શકય બને કે પાણીનું ધાર્મિક- આધ્યાત્મિક મહત્ત્વ અને મૂલ્ય માણસ સમજતો-સ્વીકારતો થાય. અમૃતસમા આ પાણીની ઉત્પત્તિ, તેનું સ્વરૂપ, તેના ગુણધર્મો વગેરે વિગતો સમજીએ.
Read more »
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on February 26, 2009 by jalsamvaad
શરીરને ટકાવવામાં હવાથી બીજો દરજ્જો પાણીનો છે. હવા વિના માણસ થોડી ક્ષણ જ જીવી શકે. પાણી વિના કેટલાક દિવસ કાઢી શકાય. પાણીની બહુ જરૂરિયાત હોવાથી કુદરતે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં પૂરું પાડ્યું છે. પાણી વિનાની મરુભૂમિમાં માણસ વસી શકતો જ નથી, જેથી સહરાના રણ જેવા પ્રદેશમાં કંઈ વસતિ જોવામાં નથી આવતી.
Read more »
Filed under: Uncategorized | Leave a Comment »