વાસ્મોનું લક્ષ્ય છે કે ગ્રામ્ય વિસ્તારોના સમુદાયો પોતાની જાતે જ પીવાના પાણી, સ્વચ્છ સેનિટેશન અને આરોગ્યપ્રદ આવાસ ટકાઉ ધોરણે વિકસાવવા સક્ષમ બને. અમલીકરણ સહાય સંસ્થાઓ (ઇમ્પ્લેમેન્ટેશન સપોર્ટ એજન્સીઝ)ની અને ગ્રામ્ય સ્તરે પાણી સમિતિની મદદથી વાસ્મો આ બધા જ ધ્યેયને પહોંચી વળવા વિવિધ યોજનાઓ ચલાવે છે, તથા તેનો અસરકારક રીતે અમલ થાય, તે જુએ છે.
અર્થક્વેક રીહેબિલિટેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન (ઇઆરઆર)
આ યોજના ભૂકંપથી અસર પામેલાં અને વારંવાર દુકાળનો ભોગ બનતાં તમામ ૧,૨૬૦ ગામમાં પાણી પુરવઠા અને સ્વચ્છતાની સુવિધાઓ વિક્સાવવા કાર્યરત છે..
સ્વજલધારા- વિભાગીય સુધારા
આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં લોકભાગીદારીવાળી વ્યવસ્થા ઊભી કરીને માગ આધારિત પીવાના પાણીના સ્રોત તથા વ્યવસ્થા ઊભી કરવાની નેમ ધરાવે છે.
પાણીની ગુણવત્તાની ચકાસણી
આ યોજનાનું લક્ષ્ય છે કે લોકો સ્વચ્છ પાણી પીતા થાય અને તેની માગ કરતાં થાય.
સંયુક્ત આદિવાસી વિકાસ યોજના
આ યોજના રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લાના અતિ પછાત આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ વિક્સાવવાનું લક્ષ્ય ધરાવે છે.
Leave a comment