• લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકતી અને લોકોને તેમની પોતાની શક્તિઓમાં વિશ્વાસ બેસે એવી સ્થિતિ સર્જવા કાર્યરત સંસ્થા એટલે વાસ્મો... જાણો વધુ
  • અત્યાર સુધીમાં…

    ગુજરાતમાં...
    • ૧૩,૧૦૫ ગામના લોકોએ પાણી સમિતિ રચીને પીવાના પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ માટે લોકભાગીદારી આધારિત અભિગમ અપનાવ્યો છે.
    • ૩,૫૦૦થી વધુ ગામોએ તેમની પાણી પુરવઠા યોજનાઓ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. બીજાં ૩,૬૦૦ ગામોમાં યોજનાઓ પર કામ ચાલુ છે.
    • ૧,૧૮૭ શાળાઓ અને ૮,૪૬૧ પરિવારોએ છત પરથી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા વિક્સાવી છે.
    • ૧૩,૭૬૨ પાણી ગુણવત્તા ટુકડીઓ બની છે, જે ગામોમાં મળતા પીવાના પાણીની ગુણવત્તા ચકાસતી રહે છે.
    • ૧૩,૧૪૬ પાણી ગુણવત્તા કીટ્સનું વિતરણ થયું છે, જેની મદદથી ગામલોકો પીવાના પાણીની ગુણવત્તા ચકાસે છે.
    • ૩૮,૦૦૦ જેટલી શાળાઓને પણ આવી જ પાણી ગુણવત્તા કીટ્સ આપવામાં આવી છે અને ૩૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકરોને ગુણવત્તા ચકાસણીની તાલીમ અપાઈ છે.

જળસંચય – જળઅનુશાસન – જળસમૃદ્ધિ

ડૉ. જયપાલ સિંહ, વાસ્મો


પીવાના પાણીના ક્ષેત્રને ટકાઉપણું આપવા માટે રાજય સરકાર દ્વારા લાંબાગાળાનું મહત્વાકાંક્ષી આયોજન કરી રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજયની આશરે ૭૫ ટકા વસતીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે ૬૫ ટકા વસતીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. ગ્રીડની સાથે જ સ્થાનિક સ્ત્રોતોના વિકાસ માટે પણ કામગીરી થઇ રહી છે.

Continue reading

જળ વપરાશની આચારસંહિતા અનિવાર્ય

પ્રો. આર. સી. પોપટ (શુકદેવ)

ગુજરાતના આર્થિક વિકાસના ત્રણ પાયા – પાણી, પાવર અને પેટ્રોલ. ગુજરાત રાજ્ય પાણીની અછતવાળું રાજ્ય છે. ગંભીર બાબત એ છે કે, પાણીની આ અછત કુદરત પ્રેરિત નહીં, પરંતુ માનવસર્જિત છે. પર્યાપ્ત વરસાદ છતાં રાજ્યને પાણીની અછતનો લગભગ દર વર્ષે સામનો એટલા માટે કરવો પડે છે કે, આપણે ત્યાં યોગ્ય જળ આયોજન અને જળ સંચાલનનો અભાવ છે.

Continue reading

અનાદિકાળથી ચાલી આવતી અસ્વચ્છતાની આદત કાઢવા માટે જરૂર છે મહાપરાક્રમની

– જય વસાવડા

યુવા હૈયાંઓને હલેસાં આપનાર જાણીતા કોલમનિસ્ટ વાત માંડે છે આપણી અસ્વચ્છતાની આદતોની અને તેને દૂર કરવાની જરૂરની…

ભારત જેવું ભાતીગળ અને ભવ્ય ચોમાસું જગતમાં કયાંય દીઠું જડતું નથી અને રેઇન જેવી રોમેન્ટિક સીઝન બીજી કઈ હોય? બારીશની આતીશમાં મન કમ સૂન, મોન્સુનના પોકારો કરવા લાગે છે. પણ જેવો વરસાદ ઢૂકડો આવે, કે તનમાં ફફડાટ જાગે છે.

Continue reading

એક કુટુંબની એક મહિનાની તંદુરસ્તીની કિંમત

પાણી અને આરોગ્ય એક સિકકાની બે બાજુઓ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં તારણ મુજબ, અસ્વચ્છ અને અપૂરતા પાણીથી ઘણી બીમારીઓ ફેલાય છે. પાણીમાં રહેલા રોગજન્ય જીવાણુંઓ મળમાંથી આવે છે.આવા જીવાણુંઓની હાજરી પાણીને ગંદુ બનાવે છે. જેને કલોરિનેશનની ટ્રીટમેન્ટ દ્વારા જીવાણુઓનો નાશ કરી સુરક્ષિત પીવાલાયક બનાવી શકાય છે. ઘરગથ્થુ રીતે બ્લિચીંગ પાવડર અથવા કલોરિનની ટીકડીઓના ઉપયોગથી પાણી જીવાણુંમુકત બનાવી શકાય છે.

Continue reading

જીવન માટે જળનો આ દશકોઃ હવે તો જળસંચય એ જ ઉપાય

– શામજીભાઈ આંટાળા

જળ, જમીન, જંગલ અને પર્યાવરણની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન બાબતે માત્ર સરકાર એકલે હાથે જ આ બધું કરી દેશે એવી વધુ પડતી અપેક્ષાવાદી માનસિકતામાંથી લોકોએ બહાર આવવું જરૂરી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા પાણીપ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તો કરે છે, પરંતુ એ પૂરતું નથી.  લોકોએ, સમુદાયોએ, સમાજે અને દરેક નાગરિકે પાણીનો પ્રશ્ન હલ કરવાના કાર્યમાં સહયોગી બનવું જરૂરી છે.

Continue reading